ભરૂચ: શુક્રવાર: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરના પાણીના કારણે નદી કાંઠા વિસ્તારના ગામો અસરગ્રસ્ત થયા હતા. નદી કાંઠાના ગામોના જે ઘરોમાં પાણી ભરાવાના કારણે આધાર કાર્ડ, રેશન કાર્ડ ગુમ કે પાણીમાં પલળી ક્ષતિગ્રસ્ત થયા છે.
પૂર અસરગ્રસ્ત ગામોના રહીશોની જીવનોપયોગી અને દૈનિક વપરાશમાં લેવાતી આવશ્યક ચીજવસ્તુઓના માટે રેશનકાર્ડ ગુમ અને ક્ષતિગ્રસ્ત થવાથી તેઓને મળવાપાત્ર રેશનીંગના જથ્થાથી વંચિત ન રહે તે માટે અસરગ્રસ્ત પરીવારોને તાત્કાલીક ધોરણે ડુપ્લીકેટ રેશનકાર્ડ તથા આધારકાર્ડ આપવા જિલ્લા ક્લેકટરશ્રી તુષાર સુમેરાએ માનવીય અભિગમ અપનાવ્યો છે.
કલેકટરશ્રીએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અસરગ્રસ્ત તાલુકાઓના મામલતદારોને પૂર અસરગ્રસ્ત ગામોના પરિવારોને જે તે સ્થળ પર જ વિનામૂલ્યે અને ત્વરીત રેશનકાર્ડ તથા આધારકાર્ડ મળી રહે તે માટે સત્વરે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના