જૂનાગઢના ભેસાણમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત 28 દિવસ વરસાદ ન પડતા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતો માટે સહાયની માંગ કરી

Share to



ભેસાણ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ૨૮ દિવસથી વધારે સમય વરસાદ નાં પડવાથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે તો સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે તેમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નવનીત મોવલિયા, જૂનાગઢ મંત્રી પરેશભાઈ રાદડીયા ધારાસભ્ય નાં ભાઈ ગોપાલભાઈ ભાયાણી,મંત્રી કૃણાલ કપુરિયા,કાર્યકારી વિજય પરમાર, સહ સંગઠન મંત્રી અખિલેશ મકવાણા, તેમજ ભેસાણ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ને સંબોધીને મામલતદાર ને આવેદન આપ્યું હતું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to