નેત્રંગ પોલીસે ત્રણ મહિના પહેલા નેત્રંગ રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિર પાસે સગીર વયના બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લઈ તેનું મોત નિપજાવવાના ગુનામાં પિતા સામે મોટર વ્હીક્લ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

Share to


ગત તારીખ-21મી જુનના રોજ મોટર સાયકલ નંબર-જી.જે.15.સી.આર.0093 લઈ ચાલક રાજપારડી માર્ગ ઉપરથી નેત્રંગ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન નેત્રંગ રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિરની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ મોટર સાઇકલ નંબર-જી.જે.16.સી.8107ના ચાલકે સામેથી આવતા બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક નંબર-જી.જે.15.સી.આર.0093 સવારનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તે દરમિયાન અકસ્માત સર્જનાર બાઇક ચાલક સગીર વયનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.નેત્રંગ પોલીસે સગીર વયના પુત્રને બાઇક આપનાર સગીરનાં પિતા સુરેશ મધુસિંગ વસાવાએ પોતાનો દિકરો સગીર હોવાની જાણ હોવા છતાં વાહન ચલાવવા માટેની જરૂરી યોગ્યતા ધરાવતો ન હોય ઉપરાંત લાઇસન્સ વિના વાહન ચલાવી પોતાની અને બીજાની જીંદગી જોખમમાં મુકી અકસ્માત સર્જ્યો હોવાથી પોલીસે સગીરના પિતા વિરુધ્ધ મોટર વ્હીલ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાથે પોલીસે સગીર વયના બાળકોને વાહન નહીં આપવા અપીલ કરવા સાથે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પગલાં ભરવામાં આવશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to