રિપોર્ટર…નિકુંજ ચૌધરી
માંડવી તાલુકાના અમલસાડી ગામે દિપડો દશતક આપતો હોવાની ફરીયાદ ને લઈ વનવિભાગ દ્વારા દિપડા ને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં રાત્રે શિકાર ની લાલચ માં કદાવર દિપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગામના લોકો દિપડા ને જોવા ઉમટી પડ્યા હતા.અમલસાડી ગામે હળપતિ વાસ નજીક આવેલ કિરણ ભાઈ નાં ખેતરમાં દિપડો છાશવારે નજરે પડતાં વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી જેના પગલે વનવિભાગ દ્વારા દિપડા ને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું જેમાં ગત રાત્રે કદાવર દિપડો શિકાર ની શોધમાં નીકળ્યો હતો અને હરપતિ વાસ નજીક કિરણ ભાઈ નાં ખેતરમાં લતાર મારતાં મારતાં દિપડો શિકાર ની લાલચ માં આવી પાંજરા માં મુકેલ મારણ ને શિકાર બનાવા જતાં પોતે પાંજરા માં ફીટ થઇ ગયો હતો. કહેવાય છેકે શિકારી બન્યો શિકાર એવી રીતે કદાવર દિપડો પાંજરે પુરાઇ જતા વહેલી સવારે દિપડા ને જોવા લોકો નાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.દિપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગ ને થતાં તાત્કાલિક વહેલી સવારે ચાર થી પાંચ વનવિભાગ નાં કર્મચારીઓ ને સરકારી વાહન લઇને અમલસાડી ગામે હરપતિ વાસ નજીક ખેતરમાં મોકલી આપ્યા હતા, જ્યાં વનવિભાગ નાં કર્મચારીઓ એ પાંજરે પુરાઈ લા દિપડા નું પાંજરૂ વાહન માં ભરી વનવિભાગ નાં ડેપો ખાતે લઇ ગયા હતા.દિપડો પાંજરે પુરાઇ જતા અમલસાડી ગામના લોકો એ રાહત નો શ્વાસ લીધો છે. હજુ પણ અમલસાડી ગામે દિપડા હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું.
More Stories
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.
નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આયોગ્ય વિભાગ દોડતું થયું છે.
જૂનાગઢ ચાપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવ સભર આયોજન