(ડી.એન.એસ),જયપુર,તા.૦૮
રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેના મતભેદો હવે સામે આવી રહ્યા છે. આ દરમિયાન અશોક ગેહલોતે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ ૨૦૨૦માં જ્યારે રાજ્યની કોંગ્રેસ સરકાર અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી ત્યારે પૂર્વ સીએમ વસુંધરા રાજેએ સરકાર બચાવવામાં તેમની મદદ કરી હતી. જાેકે, ગેહલોતના આ દાવાને વસુંધરાએ સદંતર ફગાવી દીધો છે. ધૌલપુરમાં એક કાર્યક્રમમાં ગેહલોતે આ વાત કહી. ગેહલોતે દાવો કર્યો હતો કે વસુંધરા, શોભા રાની અને કૈલાશ મેઘવાલને ખબર પડી ગઈ છે કે તેમની પાર્ટીના લોકો રાજ્ય સરકારને ઉથલાવી દેવા માટે તત્પર છે. ત્યારે વસુંધરા અને કૈલાશે પોતે કહ્યું હતું કે અમે પૈસાના આધારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ક્યારેય તોડી નથી પાડી. અમારી પાસે આવી પરંપરા ક્યારેય નથી. ગેહલોતે કહ્યું કે તે દરમિયાન (વસુંધરા અને કૈલાશ) એ લોકોનું સમર્થન કર્યું ન હતું જેઓ સરકારને તોડી પાડવા માંગતા હતા.ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યું છે કે ગેહલોતનું નિવેદન સાવ જુઠ્ઠું છે. આ નિવેદન એક ષડયંત્ર હેઠળ આપવામાં આવ્યું છે. જાે કોઈએ તેમનું સૌથી વધુ અપમાન કર્યું હોય તો તે વ્યક્તિ ગેહલોત છે. ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં હારના ડરથી તેઓ આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. વસુંધરાએ કહ્યું કે તેમને લાગે છે કે અશોક ગેહલોતે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે કારણ કે તે પોતાની પાર્ટીમાં બળવોનો સામનો કરી રહી છે. આ બળવાથી ગેહલોત સંપૂર્ણપણે નારાજ છે.વર્ષ ૨૦૨૦માં કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટે અશોક ગેહલોત સામે બળવાખોર વલણ અપનાવ્યું હતું. પાયલોટે કોંગ્રેસના ૧૮ ધારાસભ્યોને પોતાની સાથે લીધા હતા અને બળવો કર્યો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ગેહલોત સરકાર પડી જશે. જાે કે અશોક ગેહલોત પોતાની સરકારને બચાવવામાં સફળ રહ્યા હતા.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે