ચક્રવાતી તોફાન સ્ર્ષ્ઠરટ્ઠની જાેવા મળશે આવી અસર, ક્યાં આવશે વરસાદ અને ક્યાં તોફાન..

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૮
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મોચાને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, તેની અસર સોમવાર (૦૮ મે)થી જાેવા મળશે. ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં પણ હિમવર્ષા શક્ય છે. પંજાબ, હરિયાણા, તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ અને મધ્ય મહારાષ્ટ્રમાં એક કે બે મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંતરિક કર્ણાટક, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં આજે એટલે કે ૭ મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે ઝરમર વરસાદ પડી શકે છે. જાે કે આગામી સપ્તાહથી ધીમે ધીમે વાદળો હટશે જેના કારણે તાપમાન પણ વધવા લાગશે. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આજે રાજધાની લખનૌમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જાે કે, અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતાં તાપમાનનો પારો ધીરે ધીરે વધવા લાગશે. ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લાને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં એસડીઆરએફ અને એનડીઆરએફને આપાત સ્થિતિઓ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને સલાહ જારી કરતા કહ્યું કે ૮થી ૧૧ મે દરમિયાન સમુદ્રની અંદર જવું નહીં. જે લોકો સમુદ્રની અંદર છે તેને પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.


Share to