Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ગુજરાત પર સાયક્લોન મોચાની કેવી થશે અસર?.. તે જાણો ઃ હવામાન વિભાગની આગાહી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
ઉનાળાની ઋતુમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં દેશમાં વિચિત્ર વાતાવરણ જાેવા મળી રહ્યું છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ કેટલાક રાજ્યોમાં ગરમીના દિવસો અને અન્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં ૮મે થી ૧૨ મે દરમિયાન મધ્યમ વર્ષા જાેવા મળી શકે છે. તો સીમાવર્તી વિસ્તારોમાં ૮થી ૧૧ મે દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ૧૦ મેનાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. હવાની ઝડપ ૯ મે સુધી વધીને ૭૦ કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે. ૧૦ તારીખથી બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ૮૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઓડિશા સરકારે ચક્રવાતી તોફાનની આગાહીને ધ્યાનમાં રાખીને ૧૮ દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓના કલેક્ટરને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે સોમવારે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ પછી, તે મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ વધુ તીવ્ર થવાની સંભાવના છે. રાજધાની દિલ્હી અને મુંબઈ બંને શહેરોમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે. ૈંસ્ડ્ઢએ કહ્યું કે ૮ મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે. ૭ તારીખની દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન-નિકોબાર તેમજ અંદમાન સાગરની આસપાસનાં વિસ્તારોમાં હવાની ઝડપ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકથી લઈને ૬૦ કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતી તોફાનનું નામ મોચા છે. બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપારા, કટક અને પુરી સહિત ઓડિશાના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ જિલ્લાઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. આગાહીમાં, ૈંસ્ડ્ઢ એ કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ૮ મે સુધી આગામી થોડા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. શુક્રવારે મુંબઈનું તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા હતું. લોકોને હવામાન જાેવા અને વાવાઝોડા દરમિયાન સલામત આશ્રય લેવા અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સલાહનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. માછીમારો, નાનાં વહાણ-ટ્રોલર વગેરેને સલાહ આપવામાં આવી છે કે તેઓ ૭ મે પછી બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી અને અંદમાન સાગરનાં આસપાસનાં વિસ્તારોમાં ન જાય. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈમાં ગરમીને ઠંડક આપવા માટે આંશિક વાદળછાયું રહેશે. આગામી ૨૪ થી ૪૮ કલાકમાં હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૩૪ ડિગ્રી સેલ્સિયસ અને ૨૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે રાજ્યની પાંચ દિવસની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. એટલે કે આજે રાજ્યના ૪-૫ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે પછી ગરમીનું જાેર વધવાનું શરુ થશે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે અંગે વાત કરતા વિજીનલાલ જણાવે છે કે, હજુ તે સિસ્ટમ બની નથી, પરંતુ તેની સંભાવના ૭-૮ તારીખની આસપાસ છે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસરની સંભાવના નથી. જાેકે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ટૂંકા ગાળામાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરી શકાશે. આ વાવાઝોડાની અસર ક્યાં થશે તે અંગેની હજુ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી, કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર ક્રિએટ થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top