Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

આગામી વિશ્વ આદિવાસી દિવસ ૯મી ઓગસ્ટ,૨૦૨૩ સુધીમાં ટ્રાયબલ યુનિવર્સિટી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરતા શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર

Share to


———
ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર નર્મદા જિલ્લાની મુલાકાતે
———
શિક્ષણમંત્રીશ્રી ડીંડોરે નિર્માણાધીન ટ્રાયબલ યુનિવર્સિટી અને ટ્રાયબલ મ્યુઝિયમ સંકુલની મુલાકાત કરી જરૂરી જાણકારી મેળવી
———–
રાજપીપલા,શનિવાર :- ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રીશ્રીએ તેઓની આ મુલાકાત દરમિયાન દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીની મુલાકાત કરી હતી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીત નગર ખાતે નિર્માણ પામી રહેલી દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચતા જ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરનું કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવીએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. સાથો સાથ મંત્રીશ્રીને વારલી પેઇન્ટિંગ વાળી ફ્રેમ તેમજ બિરસા મુંડાની કોતરણી વાળી લાકડાની ફ્રેમ ભેટ આપી હતી.

આ અવસરે કુલસચિવશ્રી ડૉ. વિજયસિંહ વાળાએ યુનિવર્સિટી કેમ્પસના પ્રોજેક્ટ મેપીંગ તથા થ્રીડી ઈમેજ થકી સંપૂર્ણ કેમ્પસની જાણકારી પૂરી પાડી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તેમજ હાલમાં બાંધકામ સાથે જોડાયેલી એજન્સીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને આગામી વિશ્વ આદિવાસી દિવસ એટલે કે ૯મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં યુનિવર્સિટી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અને ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટી કેમ્પસનું લોકાર્પણ કરી સમગ્ર દેશમાં એક સારો સંદેશો આપી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ યુનિવર્સિટી સંકુલના નિર્માણ માટે પૂરતું બજેટ હોય આ કામગીરી પૂર્ણ કરવા માટે વધુ લોકોની જરૂર જણાય તો તેમને પણ કામે લગાડવા જણાવ્યું હતું. આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ થકી કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કાર્યરત રહીએ તેમજ સંકુલને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ અગાઉથી જ કરવા માટે સૂચન પણ કર્યું હતું.


વધુમાં યુનિવર્સિટી સંકુલ તૈયાર થયા બાદ તેમાં બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે પણ મંત્રીશ્રીએ જણાવતા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ મંત્રીશ્રીની વાતમાં સુર પુરાવી સમગ્ર સંકુલની કામગીરી ઝડપભેર કરવા સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ એજન્સીના પ્રતિનિધિશ્રીઓને જણાવ્યું હતું.

મંત્રીશ્રી ડીંડોરે ત્યારબાદ એકતા નગર નજીક ગરુડેશ્વર પાસે પાસે નિર્માણ પામી રહેલા વિશાળ ટ્રાઇબલ મ્યુઝિયમની પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ડિસેગના કન્સલ્ટન્ટ સુશ્રી માર્ગીબેન પટેલે મંત્રીશ્રીને સમગ્ર મ્યુઝિયમની નકશા થકી જરૂરી વિગતો પૂરી પાડી હતી. તેમજ બાંધકામ પૂર્ણ થયા બાદ કેવા પ્રકારની પ્રદર્શની અને કયા કયા પ્રદેશના પ્રદર્શનનો અહીં મૂકવામાં આવશે તે અંગેની પણ જાણકારી પૂરી પાડી હતી. સાથોસાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના ઇજનેરશ્રી હેમંતભાઈ વસાવાએ પણ આ પ્રોજેક્ટ વિશેની પૂરક માહિતી મંત્રીશ્રીને પૂરી પાડી હતી.

રાજ્યના આદિજાતિ અને શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેર ડીંડોરની નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, લાયઝન અધિકારીશ્રી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભુસારાએ સાથે રહી મંત્રીશ્રીનો પ્રવાસ સફળ અને યાદગાર તાપૂર્વક પૂર્ણ બનાવ્યો હતો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top