September 6, 2024

વડાપ્રધાન મોદી ૮-૯ એપ્રિલે ૩ રાજ્યનો પ્રવાસ કરશે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ એપ્રિલે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. આ દરમિયાન તે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકને કરોડોની ભેટ આપશે. પીએમ મોદી તેલંગાણામાં ૧૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સિવાય સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. તેલંગાણાથી ૩ મહિનામાં શરૂ થનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ સિવાય પીએમ મોદી એઈમ્સ બીબીનગર અને સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. તેને બનાવવા માટે ૭૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે જ સમયે, પીએમ મોદી હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં છૈંૈંસ્જી બીબીનગરનો શિલાન્યાસ કરશે. એમ્સ બીબીનગરના નિર્માણમાં ૧૩૫૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ તમિલનાડુમાં વડાપ્રધાન મોદી ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્‌ઘાટન કરશે. પીએમ મોદી તમિલનાડુમાં ૩૭૦૦ કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. આ સિવાય પીએમ રામકૃષ્ણ મઠની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ સિવાય પીએમ મોદી કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેશે અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લેશે. આ સિવાય વડાપ્રધાન કર્ણાટકમાં ‘પ્રોજેક્ટ ટાઈગર’ના ૫૦ વર્ષ પૂરા થવાના સ્મારક કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરશે. આ સાથે ઈન્ટરનેશનલ બિગ કેટ્‌સ એલાયન્સ (ૈંમ્ઝ્રછ) પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવા પર એક સ્મારક સિક્કો પણ બહાર પાડશે.


Share to