* વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા,
તા.૨૬-૭-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડવા છતાં કોઇને કંઇ પડી નથી,
ચોમાસાની સિઝનમાં દેમાર વરસાદના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવાની સાથે ભારે ધોવાણ થતાં વાહનચાલકોની હાલત દયનીય બની ગઇ હતી.જેમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડવાની સાથે નાના-મોટા પાણીના ગરનાળાનું ભારે ધોવાણ થતાં ગરનાળાના નિમૉણકાયૅમાં ભારે ભ્રષ્ટાચાર આચાયૉ હોવાનું જાણવા મળ્યું છે.
નેત્રંગ-ડેડીયાપાડા રોડ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે,આ રોડ આગળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજયને મળતો હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનચાલકોની અવરજવર રહે છે.રસ્તાના સમાંતર જ મોટો ભુવો પડેલ છે,વાહનચાલકોની મામુલી ગફલતથી ગમખ્વાર અકસ્માતની ઘટના સજૉવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી,વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે.પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં જણાઇ રહ્યા છે.જાણે મોટી હોનારતની ઘટના રાહ જોઇને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.
આ બાબતે જવાબદાર લોકોને રજુઆત કરવા છતાં કોઇપણ પ્રકારના સમારકામની કામગીરી નહીં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ જણાઇ રહ્યો છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો