October 18, 2024

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડ્યા,કોઇને કંઇ પડી નથી,માગૅૅ-મકાન મોટી હોનારતની રાહ જોઇને બેઠી,

Share to

 


* વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા,


તા.૨૬-૭-૨૦૨૧ નેત્રંગ,


  નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડવા છતાં કોઇને કંઇ પડી નથી,


          ચોમાસાની સિઝનમાં દેમાર વરસાદના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવાની સાથે ભારે ધોવાણ થતાં વાહનચાલકોની હાલત દયનીય બની ગઇ હતી.જેમાં નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડવાની સાથે નાના-મોટા પાણીના ગરનાળાનું ભારે ધોવાણ થતાં ગરનાળાના નિમૉણકાયૅમાં ભારે ભ્રષ્ટાચાર આચાયૉ હોવાનું જાણવા મળ્યું છે.


         નેત્રંગ-ડેડીયાપાડા રોડ અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે,આ રોડ આગળ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજયને મળતો હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનચાલકોની અવરજવર રહે છે.રસ્તાના સમાંતર જ મોટો ભુવો પડેલ છે,વાહનચાલકોની મામુલી ગફલતથી ગમખ્વાર અકસ્માતની ઘટના સજૉવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી,વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે.પરંતુ માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં જણાઇ રહ્યા છે.જાણે મોટી હોનારતની ઘટના રાહ જોઇને બેઠા હોય તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.


આ બાબતે જવાબદાર લોકોને રજુઆત કરવા છતાં કોઇપણ પ્રકારના સમારકામની કામગીરી નહીં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રોષ જણાઇ રહ્યો છે.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed