* મારૂતીવાન-ઇક્કો ગાડી વચ્ચે સામસામે ટક્કરાઇ : ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
તા.૨૧-૭-૨૦૨૧ નેત્રંગ.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કોચબાર ગામના પાટીયા પાસેથી મારૂતીવાન ગાડી નં :- જીજે-05-સીઇ-0737 નો ચાલક ગણપતભાઇ કોટવાલભાઇ વસાવા પાંચેક મુસાફરોને બેસાડીને નેત્રંગ તરફ પસાર થઇ રહ્યા હતા.જે દરમિયાન સામેછેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા ઇક્કો ગાડી નં :- જીજે-19-એએમ-0656 ના ચાલકે ટક્કર મારતા બંને ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.મારૂતીવાનના ચાલ કગણપતભાઇ કોટવાલભાઇ વસાવા રહે.વાલપોરને હાથ-પગ,માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જ ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.મારૂતિવાન-ઇક્કો ગાડીમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ આવ્યા હતા.પરંતુ વધુ સારવારની જરૂર અથઁ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગમખ્વાર અકસ્માતની ઘટના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો