September 7, 2024

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે૭૨ માં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી

Share to


ભરૂચઃ ગુરૂવાર :- અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે ૭૨ માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ હાંસોટ તાલુકાના કુડાદરા પ્રાથમિક શાળા ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણના વૃક્ષ રથનું પણ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, માનવ જીવન વૃક્ષો આધારિત છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરવું અને જતન કરવું ખુબ જ જરૂરી છે. ઘણી સમસ્યાઓનો એક માત્ર ઉકેલ વૃક્ષોની જાળવણી કરવી. આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, આગેવાન પદાધિકારીઓ, રેન્જ ફોરેસ્ટર ઓફીસર સહિત આગેવાનો હાજર રહી ૭૦ જેટલા વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી હતી.


Share to

You may have missed