(ડી.એન.એસ)અમરેલી,તા.૦૮
ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા અને બગોયામાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેન્દ્ર બિંદુ અમરેલીથી ૪૨ કિમી દૂર હોવાનુ જાણવા મળ્યું હતું.
More Stories
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો
જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે લોક ભાગીદારીથી બનાવેલ આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ જાહેર જનતા માટે ખુલ્લુ મુકતા જૂનાગઢ પોલીસ અધિક્ષકશ હર્ષદ મહેતા સાહેબ