રાજપીપલા,સોમવાર :- ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૨૦૧૫/-(પ્રતિ મણ રૂ।. ૪૦૩/-) ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવા નાયબ જિલ્લા મેનેજરશ્રી, રાજપીપલા જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
More Stories
ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોને પડતી હાલાકી નું નિવારણ લાવવા ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશવસાવા નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર…
દિવાળીના તહેવારોને લઈ ને નેત્રંગ નગરના ૩૪ જેટલા લોકો એ હંગામી ફટાકડા પરવાનો મેળવવા કરેલ અરજીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ઝધડીયાએ નામંજુર કરાતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
* નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી ક્યારે શરૂ થશે….? વ્યાપક ચચૉ * રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરાશે * શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપનીને વકઁઓડઁર અપાયો છે.