આપ સરકારની ઘરે – ઘરે રાશન યોજના પર કેન્દ્રએ બ્રેક મારી
પિન્ઝા – બર્ગરની હોમ ડિલિવરી થઇ શકે તો રાશન નહિ કેમ નહિ ?: કેજરીવાલ આગ બબૂલા
ન્યૂ દિલ્હી, કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી સરકારની ‘ ઘરે – ઘરે રાશન યોજના “ પર પ્રતિબંધ લગાવતા કેજરીવાલે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી . તેમણે કહ્યું કે આ યોજનાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી , તો પછી તમે બે દિવસ પહેલા કેમ તેને રોકી દીધી ?
કેજરીવાલે કહ્યું કે તમે આમ કહીને અમારી યોજના નામંજૂર કરી કે અને કેન્દ્રની મંજૂરી લીધી નથી . પરંતુ અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્રની મંજૂરી લીધી હતી . મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું , આગામી સપ્તાહથી ઘરે – ઘરે રશન યોજના શરૂ થવાની હતી . આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે , પરંતુ કેન્દ્ર અચાનક બે દિવસ પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવી દીધો ? વડાપ્રધાનજી આજે હું ખુબ જ વ્યથિત છું . જો આજે મારા થી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો . વડાપ્રધાનજી , રાજય સરકાર આ યોજના માટે સક્ષમ છે . અને અમે કેન્દ્ર સાથે કોઈ વિવાદ ઈચ્છતા નથી . અમે તેનું નામ મુખ્યમંત્રી ઘરે – ઘરે રાશન યોજના રાખ્યું હતું . તે પછી તમે કહ્યું હતું કે યોજનામાં મુખ્યમંત્રીના નામનો સમાવેશ કરી શકાશે નહીં . અમે તમારી વાત માનીને નામ દૂર કરી નાખ્યું . ત્યારે હવે તમે અમારી યોજનાને એમ કહીને નકારી દીધી છે કે અમે કેન્દ્રની પરવાનગી લીધી નથી , અમે આ યોજના માટે ૫ વખત કેન્દ્ર સરકારની મંજુરી લીધી છે .
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું