


છેલ્લા ૧૨ વર્ષ થી નેત્રંગ તાલુકામા સમાવેશ કરવામા આવેલ કોલીયાપાડાના ગામજનોને સસ્તુ અનાજ ઝધડીયા તાલુકાના વલી ગામે જવુ પડે છે !!!
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૦-૦૩-૨૫
રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો-કચેરીઓની યોજનાકીય માહિતી તેમજ લાભાર્થીઓને લાભ મળે તેમજ ગામમાં માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજ્ય ભરમા રાત્રિસભાઓનુ આયોજન વહીવટી તંત્ર થકી કરવામા આવી રહ્યુ છે.
જેના ભાગ રૂપે નેત્રંગ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી નાઓએ નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રી સભા તા.૧૯-૦૩-૨૫ ના રોજ ગ્રામપંચાયત કચેરી ખાતે યોજાયેલ જેમા મોટી સંખ્યા મા વાંકોલ ગુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલ ગામો તેમજ કોલીયાપાડા પંથક ના ગામના ગામજનો મોટી સંખ્યામા જોડાયેલ હતા.
આ રાત્રિ સભામાં ગામજનોએ પોતાને પડતી તકલીફ ની રજૂઆત કરી હતી જેમા ( ૧ ) પાણીના સ્તર ઉંડા ઉતરી જાય છે, જેથી કોલીયાપાડા ગામે ખાડી-કોતર આવેલ છે, તે જગ્યાએ ચેક ડેમ – કોઝવે બનાવા આપવાની રજૂઆત કરી.(૨) કોલીયાપાડા ગામે ખેતી માટે સિંચાઈ ની યોજના નથી,આ અંગે સિંચાઈ માટે પાણી મળી રહે તેવી રજૂઆત કરી (૩) દુધડેરી-દુધમંડળી નથી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી (૪) પ્રાથમિક શાળામાં શિક્ષક ની ધટ બાબતે રજૂઆત (૫) કોલીયાપાડા ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે વલી ગામે જવુ પડે છે. રેશનકાર્ડ ની તમામ કામગીરી ઝધડીયા થાય છે જે દુર પડે છે. નેત્રંગ તાલુકાની કોઈ સસ્તા અનાજ દુકાન સાથે કોલીયાપાડા ગામનો સમાવેશ કસવામા આવે તેમજ રેશનકાર્ડ ની તમામ કામગીરી પણ નેત્રંગ કરવામા આવે તેવી રજૂઆત કરી (૬) કોલીયાપાડા ગામ ગુપ ગ્રામ પંચાયત સાથે છે.તેને અલગ કરી કોલીયાપાડા ગ્રામ પંચાયત અલગ કરવાની રજૂઆત (૭) વન અધિકારના દાવાઓ પડતર છે.તે સત્વરે મંજુર કરવામા આવે વિગેરે રજૂઆત ગામજનો થકી કરવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું