.
*જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા* ભરૂચ- ગુરુવાર- જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રીના હસ્તે મંજુર થયેલ કામોનું ખાતમુર્હુત/લોકાર્પણનો કાર્યક્રમ તા.૨૩/૦૯/૨૦૨૪ના રોજ થનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ બેઠક યોજાઈ હતી.
પ્રભારી મંત્રીશ્રીના હસ્તે મંજુર થયેલ કામોનું ખાતમુર્હુત/લોકાર્પણ કાર્યક્રમના આયોજન અને પૂર્વ તૈયારીઓના સંદર્ભે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મિંટીંગમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને સિડ્યુલ પ્રમાણેની માહિતી આપી હતી.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા,પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં ઝળકાવ્યું હીર* ****
ઝગડીયા તાલુકાની ઝગડીયા GIDC ની પ્રહરિત કંપની ની સામે કલર યુક્ત પાઉડર નજરે ચડ્યો…
જુનાગઢની સગીરાને રાજકોટ ખાતે દેહ વિક્રયના ચુંગાલ માંથી છોડાવાના ગુન્હામાં સંડોવાયેલ વધુ -૪ આરોપીઓને પકડી પાડતી જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ