વડોદરા: વડોદરામાં પોલીસના મારથી યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે બે પોલીસકર્મી સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. સયાજીગંજ પોલીસ પર યુવકને માર મારવાનો આરોપ છે. લાંબી સારવાર બાદ ઘાયલ યુવકે દમ તોડ્યો હતો.
લાંબી સારવાર બાદ લારી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. ફૈઝાન શેખ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં LRD મહંમદ મુબશશિર સલીમ, રઘુવીર, PCR વાન ચાલક કિસન પરમાર સામે IPCની કલમ 302 ઉમેરાઈ છે.
બે પોલીસકર્મી અને PCR વાન ચાલકે ફૈઝાન શેખને માર માર્યા બાદ રોડ પર ઢસડ્યો હોવાનો આરોપ છે. માર માર્યા બાદ ઘાયલ ફૈઝાન ઘણા સમયથી પથારીવશ હતો. જ્યાં પહેલી જૂને તેનું સારવારમાં મોત થયુ હતું. ફૈઝાનના મોત બાદ પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો