October 22, 2024

ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા ૧૩ના મોત

Share to

(ડી.એન.એસ) , દહેરાદૂન , તા.૩૧

ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા વાહનમાં ૧૬ લોકો સવાર હતા. ઘટનામાં ૧૩ ના મોત નીપજ્યા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ૧૩ મૃતકોના મૃતદેહ ખાઈમાંથી જપ્ત કરવામાં આવ્યા છે.  પોલીસ-વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત-બચાવ કાર્યમાં લાગેલા છે. માહિતી મળતા જ દેહરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડના રાહત-બચાવ દળ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા. એસપીએ આ જાણકારી આપી છે.  ચકરાતાના એસડીએમે જણાવ્યુ કે ઘટના સ્થળ માટે ચકરાતા અને ત્યૂનીની રેવન્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.ઉત્તરાખંડના ચકરાતામાં રવિવારે દર્દનાક ઘટના ઘટી. આ ઘટના ચકરાતાના સુદૂરવર્તી વિસ્તારના ત્યૂની રોડ પર સવારે લગભગ દસ વાગે થઈ છે. ચકરાતા વિસ્તાર દેહરાદૂન જિલ્લામાં છે. ચકરાતાના ભરમ ખતના બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલી ગાડી રવિવારે સવારે બાયલા-પિંગુવા માર્ગ પર ગામથી આગળ અનિયંત્રિત થઈ ગઈ અને ઊંડી ખાઈમાં પડી ગઈ.


Share to

You may have missed