લાઠી શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલયમાં ૧૯૯૦ થી નિષ્ઠાપૂર્વક ૩૧ વર્ષ ફરજ નિભાવી તા.૨૭-૧૦-૨૧ ના રોજ નિવૃત્ત થતા.શાળાના આચાર્ય દશૅનાબેન ગીડા, ટ્રસ્ટી પ્રમુખ શ્રી રાજેશભાઈ નાંઢા તેમજ શિક્ષકગણ દ્વારા શ્રીફળનો પડો,શાલ ઓઢાડી, ચાંદીમાં રૂદ્રાક્ષની માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
દિપકભાઈ એ તેમની ફરજ દરમ્યાન શાળાને નંદનવન બનાવવા અને વિદ્યાર્થીનીઓને શિતલ છાયડો મળે તેવા અભિગમ સાથે વૃક્ષોનું જતન કરી શાળાને શિતલ છાંયડાની જેમ સમગ્ર સ્ટાફમા સુવાસ પાથરી નિવૃત્ત થતા હષોૅલ્લાસ સાથે નિવૃત્તિ બાદ પોતાનું સુખમય અને નિરોગી રહે તેવી શુભકામના પાઠવી હતી.
દિપકભાઈ વાજાએ પણ તેમની ફરજ બજાવી તે સમયનો સદુપયોગ વિષે તેમના મુખે વણૅવ્યો હતો.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
* નેત્રંગ તાલુકાના ૧૨ ગામોના ખેડુતો-આગેવાનોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા-નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલ જંગલની જમીનના રેવન્યુમાં ફેરવાવાની માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
બિલાઠાના ભગત ફળીયા વિસ્તારમાં જુગાર રમતા ૨ જુગારી ઝડપાયા. ૬ ફરાર.