ભરૂચ – મંગળવાર – ભરૂચના આંબેડકર ભવન હોલ, ખાતે શ્રી આનંદ કુમાર, IFS વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વર્તુળ, ભરૂચના માર્ગદર્શન હેઠળ શ્રીમતી યુ.આઇ.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ ની અધ્યક્ષતામાં એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ, બાંબુ કલ્ટીવેશન અને લોકલ ઇનીશીયેટીવના વિષય બાબતની એક દિવસિય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં ખેડુતોને વન વિભાગની બાંબુ મીશન યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. બાંબુ વાવેતર માટે ખેડુતોને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે બાબુ તજજ્ઞ શ્રી ચિરાગભાઇ સાંજા દ્વારા બાંબુ વાવેતર માટે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં મદદનીશ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, ભરૂચ, બાંબુ તજજ્ઞ અને વનએરા બાંબુ એફ.પી.ઓ ચેરમેન શ્રી વી.એમ.ચૌધરી, ચેરમેન,ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી. શ્રી ચિરાગભાઇ સાંજા, તથા શ્રી ગિરીશભાઇ પટેલ, તથા ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી, શ્રી અશ્વિનસિંહ માંગરોલા, તથા, ડિરેક્ટર ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કં.લી શ્રી બાલુભાઇ પટેલ તથા શ્રીહરીશભાઇ પટેલ, શ્રીજી કોર્પોરેશન નર્સરી,વરણામા તથાસામાજિક વનીકરણ વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફીસર તથા ક્ષેત્રિય સ્ટાફ તેમજ ૫૦૦ જેટલા ખેડુતો વર્કશોપમાં હાજર રહ્યા હતા. તેમ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.



More Stories
જિલ્લાના ઝઘડીયા તાલુકામા ડમલાઈ ગામે વહીવટીતંત્ર દ્નારા કાર્યવાહી : સિલીકા જેવી કીંમતી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ:
છેલ્લા પંદર (૧૫) વર્ષથી ધાડ તથા આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.
જૂનાગઢ પોલીસ તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ