વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના રેલવેએ આકરૂં વલણ કરતા
નિર્ણય પાછો નહિ ખેંચાય તો
ખેડુતોને સાથે રાખીને ધારાસભ્ય હર્ષદ રીબડિયા શનિવારે જલદ આંદોલન: કરવામાં આવશે
જૂનાગઢ ના વિસાવદર પંથકમાં રેલવે વિભાગે 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, પશુપાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને તેમના રસ્તા પરના હક્કો છિનવાઇ જશે. રેલવે વિભાગ જો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આ નિર્ણય કરી ફાટકો બંધ કરશે તો 4 સપ્ટેમ્બરે જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ ઉચ્ચારી છે.
વિસાવદરથી પસાર થતી રેલવે લાઇનો પર વિસાવદરથી ભાડેર અને ધારી તરફ, વિસાવદરથી બીલખા અને જૂનાગઢ તરફ, વિસાવદરથી કાસીયા અને વેરાવળ તરફ જૂનાગઢ જિલ્લાની હદમાં કુલ 52 રેલવે ફાટકો બંધ કરવા રેલવે વિભાગે મંજૂરી માંગતા જિલ્લા કલેકટરે 28 ફાટકો બંધ કરવા મંજૂરી આપેલી છે. જ્યારે બાકીના 24 ફાટકો બંધ કરવાની મંજૂરીની કામગીરી ચાલુ છે. હવે આ ફાટકો બંધ કરવાનો નિર્ણય બંધ નહિ કરાય તો 4 સપ્ટેમ્બર શનિવારે જલદ આંદોલન કરાશે.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
Khabar Ek dum Sachi
More Stories
બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું