Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

સાઈબર ક્રાઈમ હેઠળ છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોની રૂપિયા ૨૦ લાખ જેટલી રકમ પરત અપાવતા નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસની ટીમ

Share to

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેએ એસ.પી. કચેરી ખાતે યોજેલી પત્રકાર પરિષદ

સાઈબર ક્રાઈમના ગુનાઓને ઉકેલવામાં નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલસની કામગીરી રાજ્યમાં નોંધપાત્ર, રેન્જ આઈજી દ્વારા કરાયેલા ઈન્સ્પેક્શનમાં પણ કામગીરીની સરાહના કરાઈ : નર્મદા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે

રાજપીપલા, શુક્રવાર : રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. તેમાં નર્મદા જિલ્લા પોલીસની કામગીરી પણ નોંધપાત્ર રહી છે.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં સાઈબર ક્રાઈમ અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીનો ચિતાર આપવા અંગે એસ.પી. કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ સહાયક પોલીસ અધિક્ષકશ્રી લોકેશ યાદવ અને પી.આઈ. આર.જી. ચૌધરી પણ હાજર રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી સાઈબર ક્રાઈમની ઠગાઈનો ભોગ બનેલા લોકોની રૂપિયા ૨૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી. જે પૈકી નામદાર કોર્ટ મારફતે અરજદારોને અત્યારસુધીમાં રૂપિયા ૨૦ લાખ જેટલી રકમ પરત અપાવી છે. જ્યારે રૂપિયા ૯ લાખ પરત અપાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસ અધિક્ષકશ્રીએ વધુમાં જણાવ્યું કે, સાઈબર ક્રાઈમના ગુનામાં પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં સુધારો કરવામાં આવ્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના માત્ર એટલા જ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત થયો હોય. જેથી હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગ્રુહ વિભાગ દ્વારા આ ફેરફારનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબજ સરાહનીય છે.

નર્મદા જિલ્લાના નાગરિકોને સાઈબર ક્રાઈમની છેતરપિંડીથી બચવા માટે અને ભોગ બનેલા નાગરિકોએ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરવા પોલીસ અધિક્ષકશ્રીએ ખાસ અપીલ કરી હતી. સાથોસાથ નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રસંશા કરતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસની કામગીરી નોંધપાત્ર રહી છે. જેની તાજેતરમાં જ રેન્જ આઈજી દ્વારા કરાયેલા ઈન્સ્પેક્શનમાં પણ પોલીસની આ કામગીરીને બિરદાવાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટકાયતમાં રહેલી રકમમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. જેમકે, વર્ષ- ૨૦૨૪માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬.૪૨% છે, જે વર્ષ ૨૦૨૩માં ૧૭.૯૩% હતી. ૩૦ જૂન, ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ રૂપિયા ૧૧૪.૯૦ કરોડ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ રૂપિયા ૫૩.૩૪ કરોડ છે. જે ઘટાડાનો તફાવત દર્શાવે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top