Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Share to

ઝગડીયા

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઝઘડિયા તાલુકામાં ગુરુ મહિમા દર્શાવતા ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી

આજરોજ ગુરુપૂર્ણિમા હોઇ ઠેરઠેર ગુરુનો મહિમા દર્શાવતું આ પર્વ પરંપરાગત ભક્તિભાવના માહોલ વચ્ચે ઉજવાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ વંદનાના પર્વ ગુરુપૂર્ણિમાની ઉજવણી ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતે આ જગ્યાના ગાદીપતિ મનમોહનદાસજીના સાનિધ્યમાં ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભકતજનો દ્વારા આરતી તેમજ ભજનકિર્તનની રમઝટ બોલાવીને ગુરુનો મહિમા દર્શાવતું ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવાયું. આ પ્રસંગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો ઉપસ્થિત ગુરુ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે ગુરુને આદર અને સમ્માન સમર્પિત કરવાનું પર્વ. આ દિવસનું હિન્દુ ધર્મમાં મોટું મહત્વ રહેલું છે. વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી આજના દિવસને ગુરુપૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુના આદર સમ્માન માટેનો સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનું પર્વ. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા યજ્ઞ પણ કરાતા હોય છે. ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક તહેવાર છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ શિષ્યો માટે આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવાનું પર્વ મનાય છે. માનવજીવનમાં ગુરુનું મહત્વ ખુબ મોટું મનાય છે. ગુરુ પોતાના શિષ્યોને સાચી દિશા બતાડે છે,જે શિષ્યોને નિતી નિયમથી જીવન વ્યતીત કરવામાં સહાયરૂપ બને છે. ગુરુ પૂર્ણિમાનું પર્વ હિન્દુ ધર્મ ઉપરાંત જૈન અને બૌદ્ધો દ્વારા પણ મનાવાય છે. ભારત સહિત નેપાળ અને ભૂતાનમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્ય વચ્ચેના આધ્યાત્મિક અને આત્મીય સંબંધોનું પર્વ,તેથીજ ગુરુ પૂર્ણિમાનું પર્વ શિષ્યો માટે ગુરુને આદર આપવાનું પર્વ ગણાય છે. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર પરંપરાગત ભક્તિભાવથી મનાવાયું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top