ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાંથી ગતરોજ એક આધેડ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો…
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાં એક ફાર્મ હાઉસની બાજુમાં આવેલ ખેતરમાંથી એક અજાણ્યા આધેડ પુરૂષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ખેતર માલિક બાલુભાઇ ખુશાલભાઇ પટેલ રહે.ફુલવાડી તા.ઝઘડિયાનાએ આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. ઝઘડિયા પીઆઇ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામના ૫૫ વર્ષીય અનિલભાઇ રામાભાઈ પટેલનો હોવાની જાણ થઇ હતી.
પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બાબતે વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક અનિલભાઇ ગત તા.૧૫ મીના રોજ મરોલી ખાતેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઇ ભાળ મળી નહતી. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હોઇ ચાર પાંચ દિવસ અગાઉ તેમનુ મોત થયું હોવાનું મનાય છે. તેઓ કયા સંજોગોમાં ગુમ થયા,તેમનું મોત કયા કારણસર થયું તેમજ છેક નવસારી જિલ્લાના આ ઇસમનો મૃતદેહ ભરૂચના ઝઘડિયા તાલુકામાં કેવી રીતે મળ્યો તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે,અને પોલીસ તપાસ બાદ ઘટના અંગેની વિગતો બહાર આવશે એમ માનવામાં આવી રહ્યું છે….
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો