જૂનાગઢ ફરવા આવેલ અમદાવાદના વતની ઉજવલકુમાર રાઠોડ બસ સ્ટેશનથી સક્કરબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ જતા જૂનાગઢ પોલીસે સોધીને અરજદારને પરત કર્યો

Share to





રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.

_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ઉજવલકુમાર નરેશભાઇ રાઠોડ અમદાવાદના વતની હોય, જૂનાગઢ ફરવા આવેલ હોય, ઉજવલકુમાર બસ સ્ટેશનથી સક્કરબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં નવા કપડા, શુઝ તથા અન્ય જરૂરી સામાન હોય.* સક્કરબાગ ઉતર્યા બાદ ઉજવલકુમારને માલુમ પડેલ કે તેમની સાથે રાખેલ બેગ તેઓ ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ છે. તેમણે આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો સામાન મળેલ નહિ, ઉજવલકુમારની નજર ત્યા લગાવેલ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના બેનર પર પડતા તેમણે તાત્કાલીક તેમાં લખેલ મોબાઇલ નં. પર સંપર્ક કરેલ. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિમલ ભાયાણી, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદીયા, એન્જીનીયર રીયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઉજવલકુમાર જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા ઉજવલકુમાર પોતાના રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ 34 T 0162 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઉજવલકુમાર રઠોડનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી ગણતરીની કલાકોમાં રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ઉજવલકુમાર રાઠોડે જણાવેલ કે તેમને આ સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ સામાન પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to