જયદિપ વસાવા , ડેડીયાપાડા
તારીખ 13/07/2013, ગુરુવાર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના પ્રિન્સિપાલ ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ. અને નાસકોમ ફાઉન્ડેશન દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ અને નાણાકીય લીટરસી’ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમા મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ વાઘેલા અને ભરતભાઈ વસાવા ડિજિટલ લાઈબ્રેરી અને ઈ-ગવર્નેસ, સાઇબર ક્રાઇમ અને સીક્યુરીટી અંગે વિદ્યાર્થીઓની માહિતગાર કર્યા હતા. જેમાં વિનયન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહ ના પ્રથમ અને દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ સાથે તમામ કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા.



More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..