September 7, 2024

ભરૂચમાં ઝાડ પર મળી આવ્યો યુવકનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા છે તે અંગે રહસ્ય ઘેરાયું..

Share to


(ડી.એન.એસ)ભરૂચ,તા.૧૩
ભરૂચના સાચણ ગામ નજીકથી ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. મૃતદેહ આંકોટ ગામનાં અનિલ સોમાભાઈ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. સાચણથી પિસાદ તરફ કેનાલ રોડ પર ૨૫ થી ૩૦ ફૂટની ઊંચાઈ પર લીમડાના ઝાડ ઉપર લટકેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કે હત્યા તે અંગે તપાસ હાથ શરુ કરવામાં આવી છે.


Share to

You may have missed