Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ઃજમ્મુ-કાશ્મીરમાં ૭૨ કલાકમાં ચોથું એન્કાઉન્ટર, ૩ દિવસમાં ૪ આતંકવાદીઓને ઢાળી દીધા

Share to


(ડી.એન.એસ),શ્રીનગર,તા.૦૫
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં શુક્રવારે સવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા ૭૨ કલાકમાં આતંકીઓ સાથે સેનાનું આ ચોથું એન્કાઉન્ટર છે. ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. ગુરુવારે સવારે બારામુલ્લાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં સેનાએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે, બુધવારે પણ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ મુજબ ૩ દિવસમાં કુલ ૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. જૂથે એક પોસ્ટમાં કહ્યું છે કે – હુમલામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા સૈનિકો ઘાયલ થયા છે. કાશ્મીર ટાઈગર્સ આવા વધુ હુમલાની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં ગુરુવારે સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં બંને આતંકવાદીઓને ઠાર મરાયા હતા. સેના દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્‌વીટ કર્યું કે આ પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન છે. જે ૨૯ઇઇ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓ પાસેથી ૧ છદ્ભ-૪૭, ૧ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે. બુધવારે જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન દરમિયાન માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ સરહદ નજીકથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બે અઠવાડિયા પહેલા આતંકવાદીઓએ પૂંછમાં સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો જેમાં ૫ જવાન શહીદ થયા હતા. આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top