ભરૂચઃસોમવારઃ- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ હુકમ ર્ક્યો છે કે, ભરૂચ જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટો ખરીદનાર/વેચનારાઓએ નીચે જણાવેલ શરતને આધિન રહી કાર્યવાહી કરવાની રહેશે.
ફરજિયાત કરવાની કામગીરી
જુની કારો તથા અન્ય જુના વાહનો ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ તથા સ્પેર પાર્ટો ખરીદનાર-વેચનારાઓએ રજીસ્ટ્રર ફરજિયાત નિભાવવાનું રહેશે તથા આ રજીસ્ટ્રર પોતાની પાસે નાશ ન થાય તે રીતે રેકર્ડરૂપે જાળવવાનું રહેશે તેમજ ચેકીંગમાં આવનાર સક્ષમ પોલીસ અધિકારીશ્રી માંગણી કરે ત્યારે બતાવવાનું રહેશે.
આ હુકમનો અમલ તા.૨૬/૦૩/૨૦૨૩ થી દિન-૬૦ સુધીનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યુક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
More Stories
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે
નેત્રંગના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ની ઝપટમા આવેલ ચાર વર્ષ ના બાળકનુ સારવાર દરમિયાન મોત.