September 7, 2024

માનવતા ને શરમાવે તેવી ઘટના – હળવદ શહેરના મધ્યે આવેલ મામા ના ચોરે ગૌવંશ પર એસિડ એટેકથી હુમલો

Share to


હળવદ તાલુકા ના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં માં ખેતીવાળી વિસ્તાર માં અનેક ગૌવંશ પર ભૂતકાળ માં જીવલેણ હુમલાઓ થયા હતા ત્યારે હાલમાં હળવદ શહેરની મધ્ય માં આવેલ દંતેશ્વર દરવાજા અને મામા ના ચોરા વિસ્તાર માં કોઈ નરાધમો એ છેલ્લા એક મહિના માં 3 ગૌવંશને એસિડ એટેક થકી ગંભીર રીતે ઘાયલ કરેલ છે ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને કડક માં કડક કાયદેસર ની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને લોક મુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આવા અબોલ પશુઓ ની સેવાનો કરી શકીએ તો કઈ નહિ પણ આવી નિર્દયતા થી હુમલાઓ તો નોજ કરવા જોઈએ અને આવી ઘટનાઓ થી જ કુદરતી પ્રકોપનો સામનો અને મહામારીઓ નો સામનો મનુષ્યો એ કરવો પડે છે ત્યારે આ અંગે સંબંધિત અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.


પાર્થ વેલાણી


Share to

You may have missed