(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨
કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી બહાર આવી ગયા છે. રોડ રેઝ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા થી છે, પરંતુ આજે તેમને એક વર્ષની સજા પૂરી થવાના ૪૮ દિવસ પહેલાં છોડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન જેલની બહાર તેના સમર્થકોની ભીડ જાેવા મળી હતી. ઢોલ-નગારા સાથે સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે સિદ્ધુ હેન્ડલથી તેના જેલમાંથી બહાર આવવાની જાણકારી આપવામાં આવી હતી. નવજાેત સિંહ સિદ્ધુની પત્ની નવજાેત કૌર દ્વારા શુક્રવારે ઇમોશનલ પોસ્ટ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવીને નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યુ કે અત્યારે લોકતંત્ર નામની કોઈ વસ્તુ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. પંજાબને નબળુ પાડવાનો પ્રયાસ કર્યો તો નબળા પડી જશો. જેલમાંથી બહાર આવતાં સિદ્ધુએ કહ્યું કે, હું બંધારણને મારી પુસ્તક માનું છું. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, તે સંસ્થાઓ આજે ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે કરું છું તે પંજાબની આગામી પેઢી માટે છે. અત્યારે લોકશાહી નામની કોઈ વસ્તુ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબને નબળું પાડવાનો પ્રયાસ થશે તો તે નબળો પડી જશે. નવજાેત સિંહ સિદ્ધુને ૧૯૯૦ના એક રોડ રેઝ કેસમાં ૧૯ મે ૨૦૨૨ના કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તે પટિયાલાની જેલમાં બંધ હતો. પરંતુ આજે આશરે ૪૮ દિવસ પહેલાં તેને છોડી દેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે જેલના નિયમો અનુસાર કેદીઓને દર મહિને ૪ દિવસની રજા આપવામાં આવે છે. એક વર્ષની સજા દરમિયાન સિદ્ધુએ એકપણ દિવસની રજા લીધી નથી, જેના કારણે તેને વહેલો બહાર કરવામાં આવ્યો હતો. સિદ્ધુની પત્ની નવજાેત કૌરે શુક્રવારે કેન્સરના ઓપરેશન માટે જતા પહેલા બે ઈમોશનલ પોસ્ટ કરી હતી. નવજાેત કૌરે લખ્યું હતું કે તેણે સિદ્ધુને પાઠ ભણાવવા માટે ભગવાન પાસે મૃત્યુની માંગ કરી હતી. તેના પતિના પંજાબ પ્રત્યેના પ્રેમે તેને કોઈપણ પ્રકારના લગાવથી પરે મૂકી દીધી હતી. તેણે આગળ લખ્યું કે ‘તારી રાહ જાેઈ, તમને વારંવાર ન્યાયથી વંચિત જાેયા. પરંતુ સત્ય એટલું શક્તિશાળી છે કે તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારી રાહ જાેઈ શકતો નથી, કારણ કે આ કેન્સરનો બીજું ઘાતક સ્ટેજ છે. આજે હું સર્જરી માટે જાઉં છું.
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી