Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

*શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ONGC  તથા હિ-ડાલ્કો ઇન્ડ.વી.વગેરે કંપનીના  સીએસઆર ફંડમાંથી પી.એમ.પોષણ યોજનામાં બાળકોને જમવાની ડિશોની ફાળવણી કરાઈ*

Share to

ભરૂચ – બુધવાર- ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તા.૨૬ જૂનથી ૨૮ જૂન ૨૦૨૪ સુધી કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન ONGC અંકલેશ્વર, હિન્ડાલ્કો ઈન્ડીયા લી., બીરલા કોપર દહેજ જેવી કંપનીઓએ કોર્પોરેટ સામાજિક જવાબદારી અંર્તગત અંકલેશ્વર, હાંસોટ આમોદ,વાગરા,વાલીયા,નેત્રંગ તાલુકાઓની પ્રાથમિક શાળાના બાળકોને પી.એમ.પોષણ યોજના અંર્તગત મધ્યાહન ભોજન માટે જમવા માટેની ડિશો પુરી પાડી હતી.
કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના હસ્તે વાગરા તાલુકાની પ્રા.શાળા કેશવાણ તથા અંકલેશ્વર તાલુકાની પ્રા.શાળા મોતાલી ખાતે જમવાની ડિશોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય તાલુકાઓની શાળાઓમાં શાળાની મુલાકાતે આવેલા મહાનુભવોના હસ્તે જમવાની ડિશોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.
ONGC અંકલેશ્વર દ્વારા CSR ફંટમાંથી પી.એમ. પોષણ યોજનાના બાળકોને જમવા માટે અંકલેશ્વર, હાંસોટ તથા આમોદ તાલુકાઓમાં કુલ ૯૬૮૧ ડિશોની ફાળવણી કરાઈ જ્યારે હિન્ડાલ્કો ઈન્ડીયા લી., બિરલા કોપર યુનિટ, દહેજ દ્વારા CSR ફંટમાંથી વાગરા, વાલિયા તથા નેત્રંગ તાલુકાને ૧૬૨૫૬ ડિશોની ફાળવણી કરાઈ હતી.
પી.એમ. પોષણ યોજના હેઠળ બાળકોને ભોજનની ડિશો આપવાની આ કામગીરીને જિલ્લા ક્લેક્ટરશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી. જ્યારે કમિશ્નરશ્રી, પી.એમ.પોષણ યોજના (ભધ્યાહ્ન ભોજન યોજના) તરફ થી પણ ભરૂચ જિલ્લાની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવાઈ છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
****


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top