ઈકરામ મલેક:રાજપીપળા
ભરૂચ લોકસભા 2024 ની ચુંટણી આજે તા. 7 મે ના રોજ યોજાઈ હતી. જેમાં સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે દેડિયાપાડાની 10 જેટલી આંગણ વાડીની આશા વર્કર બહેનો આજે મતદાન કરવા થી વંચિત રહી ગઈ હતી.
દેડિયાપાડાની 10 આશા વર્કર બહેનો જ્યારે મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી ત્યારે તેમને કહી દેવામાં આવ્યું હતું કે ” તમારો વોટ બે દિવસ પહેલાં વોટિંગ થઈ ગયું છે. મતદાન થઈ ગયું છે. એવો ઉત્તર આપવામાં આવ્યો હતો. આ સાંભળીને
આશા વર્કર બહેનો આશ્વર્ય માં પડી ગઈ હતી.
આથી તેમણે આ બાબતે પ્રાંત અધિકારી અને જવાબદાર અધિકારીને જાણ કરી હતી તેઓ પણ કોઈ સંતોષકારક ઉકેલ મળ્યો ન હતો. ત્યારે મતદાન થી વંચિત આશા વર્કર બહેનોએ લેખિત કરી આ મામલે પોતાના મત અધિકાર બાબતે તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.
More Stories
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા
*મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન માટે ખડેપગે*
*ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પર ભૂવો પડતાં તાત્કાલિક રોડની મરામત કરી માર્ગને પૂર્વવત કરાયો*