Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ

Share to

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪



ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ પૈકી ૨૧ ઉમેદવારી પત્રોનો સ્વિકાર જ્યારે પાંચ ફોર્મ રદ


ભરૂચ- શનિવાર - આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તાર માટે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થતા કુલ ૨૬ જેટલા ફોર્મનું નામાંકન થયું હતું. આજે તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારીની કચેરીના સભાખંડ ખાતે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ભરૂચ સંસદીય બેઠકના જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) તેમજ અન્ય ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારના ફોર્મની ઝિણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે ૨૬ ફોર્મમાંથી ૨૧ ફોર્મનો સ્વિકાર કરવામાં આવ્યો છે. જેમાંથી ૫ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ૨૨- ભરૂચ સંસદીય મત વિભાગમાં ૧૩ ઉમેદવારો રહ્યા છે. જેની યાદી નિચે પ્રમાણે છે.

૧) શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ( આમ આદમી પાર્ટી)
૨) શ્રી મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ( ભારતીય જનતા પાર્ટી)
૩) શ્રી ચેતનભાઈ કાનજીભાઈ વસાવા (બહુજન સમાજ પાર્ટી)
૪) ગીતાબેન મનુભાઈ માછી (માલવા કોંગ્રેસ)
૫) શ્રી દીલીપભાઈ છોટુભાઈ વસાવા ( ભારત આદિવાસી પાર્ટી )
૬) શ્રી ઈસ્માઈલ અહમદ પટેલ (અપક્ષ)
૭) શ્રી ધર્મેશકુમાર વિષ્ણુભાઈ (અપક્ષ)
૮) શ્રી નવીનભાઈ ભીખાભાઈ પટેલ (અપક્ષ )
૯) શ્રી નારાયણભાઈ લીલાધરજી રાવલ (અપક્ષ)
૧૦) મિર્જા આબિદબેગ યાસિનબેગ ( અપક્ષ)
૧૧) શ્રી મિતેષભાઈ ઠાકોરભાઈ પઢિયાર (અપક્ષ)
૧૨) શ્રી યુસુફવલી હસન અલી ( અપક્ષ)
૧૩) શ્રી સાજીદ યાકુબ મુન્શી ( અપક્ષ)
નોંધનિય છે કે, તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે આગામી તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.



Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top