જૂનાગઢના વિસાવદરમાં ગીર જંગલમાં ગિરિકંદરાઓ ની અંદર આદ્યશક્તિ માતા કનકેશ્વરીના બેસણા છે તેવા તીર્થધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
જેમાં ખાસ કરીને મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ તેમજ કિરણબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌમાતા નું પૂજન કરી રાજરાજેશ્વરી આદ્યશક્તિ માતા કંકેશ્વરી અભિષેક કરી હોમાત્મક યજ્ઞ તથા બપોરના ટાઈમે માતાજીનો રાજભોગ થાળ તેમજ માતાજીનો અન્નકૂટ સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ કે જાની તેમજ ટ્રસ્ટી શ્રી અતુલભાઇ ગાંધી રાજુભાઈ મહેતા મહેન્દ્રભાઈ ગાંધી ઉદયભાઇ મહેતા તેમજ હજારો માય ભક્તોની હાજરીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે