ભરૂચ ભરૂચમાં બુધવારે સવારે ઝાડેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ સભાગૃહમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નાસી શક્તિ વંદનાનો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. કાર્યક્રમને લઇને ભરૂચ નગર પાલિકાનો એકંદરે આખો સ્ટાફ કાર્યક્રમમાં ગયો હતો. જેના કારણે નગરપાલિકા કચેરી સુમસામ બની ગઇ હતી. મહત્વના તમામ વિભાગોની કેબીનો પર તાળા મારેલાં દેખાયાં હતાં. કેટલાંક અરજદારો તેમજ માર્ચ એન્ડિંગ હોઇ વેરો ભરવા માટે અમુક લોકો કચેરીએ આવ્યાં હતાં. જોકે, વિભાગોના દરવાજાઓ લાગેલાં ખંભાતી તાળાઓ જોઇને તેમને ધરમનો ધક્કો પડ્યો હોવાનો અનુભવ થયો હતો. ત્યારે તે એક કાર્યક્રમ પુર્ણ થયાં બાદ આવતી કાલે યોજાનારા સીએમના હસ્તે લોકાર્પણના કાર્યક્રમને લઇને પણ કેટલાંક અધિકારીઓ મદદમાં ત્યાં જતાં રહ્યાં હતાં.
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો