વિનાશકાળે વિપરીત બુદ્ધિ પ્રમાણે ચૈતર વસાવાના નિવેદનો આવી રહ્યા છે. જેમ રાવણનો અંત નજીક હતો ત્યારે તેનો અહંકાર ચરમસીમાએ આવી ગયો હતો તે રીતે ચૈતર વસાવા નો અહંકાર ધીમે ધીમે વધતો જાય છે. અતિની ગતિ ક્યારેય નથી તેમનો અંત હવે નજીક છે. વિશ્વના સૌથી શ્રેષ્ઠ નેતા નરેન્દ્ર ભાઈ મોદી સાથે સરખામણી કરવું એ મૂર્ખામી છે. ભરૂચ લોકસભામાં ભાજપા જ જીતશે કોઈ પણ ઉમેદવાર હોય ચૈતર વસાવા ને હરાવવા અમે તૈયાર છીએ.પોતાના મોઢે પોતાના વખાણ કરી અહમ્ પાળવો એટલે પતન તરફ વળવું.. ચૈતર વસાવાને હવે ખબર પડી ગઈ છે કે કોઈ હિસાબે તે ભરૂચ લોકસભામાં જીતશે નહિ આથી આડા અવળા નિવેદન આપીને સમાચારોમાં આવવા માંગે છે. આ અભિમાન ચૈતર વસાવા ના પતનની નિશાની છે. ચૂંટણી નિવેદનો થી નહિ કાર્ય થી જીતી શકાય છે. ભાજપ સરકારે જનતા ની સેવા ના કાર્યો કર્યા છે નરેન્દ્રભાઇ મોદીજીએ સૌના હદયમાં સ્થાન બનાવ્યું છે એટલે ભરૂચમાં અમે સરળતાથી જીતવાના છીએ. ચૈતર વસાવા ને હરાવવા માટે અમે સક્ષમ છીએ . ભરૂચ અમે સરળતાથી નરેન્દ્રભાઇ મોદી ના નામ અને કામના આધારે જીતી જઈશું. મનસુખ વસાવા M.P ભરૂચ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો