ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીની હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટીંગ નું આયોજન ડીડેયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણી લક્ષી તૈયારીઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી, આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડિયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓ એ ગામેગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું, આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમા મનોજ સોરઠીયા પ્રદેશ મહામંત્રી, જયરાજસિંહ રાજ પ્રદેશ મંત્રી, પિયુષ પટેલ જિલ્લા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.@
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/02/IMG-20240208-WA0024-1024x768.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/02/FB_IMG_1707392541211-262x300.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/02/FB_IMG_1707392538648-300x227.jpg)
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે