નેત્રંગ :- કમળદાસજી સાહેબ ના 62 મા પુણ્ય તિથિ મહોત્સવ યોજાશે…

Share to


વાલીયા નાં ચોરઆબલા ગામ ખાતે કમળદાસજી સાહેબ નાં 62 મા પુણ્ય તિથિ મહોત્સવ આવનારી 24 મી નવેમ્બ નાં રોજ યોજાશે. જેને લઇ ને તડામાર તૈયારીઓ કરવા માં આવી ગઇ છે.

ભરુચ જિલ્લા ના વાલીયા તાલુકા ના ચોરઆમલા ગામમાં આવેલ સદગુરુ શ્રી કબીર મંદિર જે આ વિસ્તાર ના ભાવિક ભકતો માટે આસ્થા ભક્તિ નુ કેન્દ્ર બિંદુ સમાન છે. આ ગુરુ ગાદીની સ્થાપના 1952 મા પરમ પૂજ્ય દાદા ગુરુ દેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ દ્વારા કરવામા આવી હતી. જે નું હાલમાં આ ગુરુ ગાદી પર વર્તમાન મહંત ભાવ દાસજી સાહેબ ગુરુ શ્રી ચતુર દાસજી સાહેબ જે ભાસ્કર ભાઈ એસ વસાવા નેત્રંગ તલાટી મંડળ પ્રમુખ બિરાજમાન છે

આ ગુરુ ગાદી ના સ્થાપક પુજય ગુરુ દેવ મહંત 108 શ્રી કમળદાસજી સાહેબ ના 62 મા પુણ્ય તિથિ મહોત્સવ આવનારી કારતક સૂદ બારસ 24 નવેમ્બર 2023 ને શુક્રવારના દિને આનંદ આરતી મહોત્સવ ઉજવાશે


Share to