જન નાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી… નેત્રંગ ગામના ચાર રસ્તા ખાતે પરંપરાગત આદિવાસી નૃત્યના તાલે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ..મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો..શેરખાન પઠાણ અને ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો...

Share to





આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી પેહરવેશ, પરંપરાગત વાધ્યો, નૃત્ય અને ડી.જે. ના તાલે ભરૂચ, નર્મદા ઉપરાંત સમગ્ર આદિવાસી પટ્ટા પરથી માનવમહેરામણ ઉમટી પડતા નેત્રંગ ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું.વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની તસ્વીરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. જેમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ અને 117 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.
નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા.

આખરે કોઈપણ જાતના વિવાદ વિના ચાર રસ્તાની બાજુમાં બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય અનંત પટેલ,આગેવાન શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા નરપત વસાવા અને રાજ વસાવાના હસ્તે અનાવરણ વિધી સંપન્ન કરવામાં આવી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed