Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ગુજરાતના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી, સંતોનો પણ કર્યો ઉલ્લેખ

Share to

DNS NEWS
ગુજરાતના બનાસકાંઠાના

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી. તેમણે પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. હવે શંકરાચાર્ય તરફથી તેમની આ માંગની પ્રશંસા કરવામાં આવી છે.

કોંગ્રેસની આ માંગને લઈને જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તરફથી પણ સરાહના કરવામાં આવી. તેમના તરફથી એક્સ હેન્ડલ પર લખવામાં આવ્યું, “પરમારાધ્ય જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શઙ્ગરાચાર્ય જી મહારાજની પ્રેરણાથી ગોભક્ત આદરણીય ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત ઉઠાવી. શઙ્ગરાચાર્ય જીની પદયાત્રાનો ઉલ્લેખ પણ કર્યો.”

ગેનીબેન ઠાકોરે સદનમાં કહ્યું, “હું ગૌ માતા વિશે વાત કરવા માંગું છું. હું માંગ કરું છું કે દેશના સાધુ સંતો અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવીમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે અને ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું.”

નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક પરથી હાર્યા બાદ ગેનીબેન ઠાકોર અટક્યા નહોતા અને 2017માં વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ગેનીબેન ઠાકોર 40 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ગનીબેન આ જ બેઠક પરથી 2022માં પણ જીત્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેને કોંગ્રેસનો 10 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top