પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૫-૦૮-૨૪.
નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ,મામલતદાર રીતેશ કોકણી,નાયબ મામલતદાર ચૌધરી ની અધ્યક્ષતામા આજે તલાટી કમ મંત્રીઓ સાથે ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી બાબતે મિટિંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા તલાટી મંડળના પ્રમુખ ભાસ્કર સહિત તમામ તલાટીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમા વિકાસ કમિશનર દિનેષ કોયા એ તા.૪ ઓગસ્ટ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ સ્વાતંત્ર્ય દિન નિમિતે ” હર ધર તિરંગા અભિયાન” તથા અન્ય કાયઁકમોની ઉજવણી કરવા બાબતે પત્ર થકી કરેલ સુચનો મુજબ તબક્કા વાર કાયઁકમો તથા તેની ઉજવણી ભવ્ય રીતે થાય તે બાબતે તલાટીઓ ને સમજ આપવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર