Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

આકાંક્ષી નર્મદા જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

Share to

રાજપીપલા, ગુરૂવાર :- નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી નાંદોદ તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે ૬ પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં લાછરસ આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી રાધિકા શારદાની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.


આ અભિયાનના ઉદઘાટન પ્રસંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઈન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, કર્મયોગીઓ, આંગણવાડી અને આરોગ્યના કાર્યકરો, સેવાભાવિ સંસ્થાઓને કટિબધ્ધ બનવાની હાંકલ કરી હતી. નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઈન્ડિકેટર્સ ઉપર લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ હાંકલ કરી હતી.


નાંદોદ તાલુકાના લાછરસ આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રારંભ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાલુકાની સગર્ભા બહેનોને મમતાકાર્ડ અને THRનું વિતરણ કરવા સાથે, સખી મંડળની બહેનોને રિવોલ્વિગ ફંડ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આરોગ્ય વિભાગના ‘નિરામય કાર્ડ’નું પણ વિતરણ કરાયું હતું.


આગામી ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી ચાલનારા ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ આકાંક્ષી જિલ્લા/તાલુકાના નક્કી કરાયેલા ઈન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ લાછરસ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપાઈ રહેલી સારવાનું નિરિક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.એચ.રાવલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top