Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પોઇચા દુર્ઘટનામાં બાકીની ત્રણ વ્યક્તિને શોધવા એનડીઆરએફના વધુ એક દસ્તાની મદદ લેવાઇ

Share to



ખોજનો વ્યાપ વધારી વ્યાસ બેટ નીચે ભરૂચ તરફના ઓવારા સુધી કરાયો, કોતરોને ખંખોળી કરાતી શોધખોળ

મહેસુલ અને પોલીસકર્મીની ટૂકડીઓ દ્વારા નદીના પટમાં પગપાળા ચાલી કરાઇ તપાસ, ઓરસંગ સંગમ સુધી અન્ડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરાયું

   રાજપીપલા, ગુરૂવાર :- પોઇચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા પરિવારમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના ૩ હતભાગીઓની શોધખોળ છેલ્લા ૪૮ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની વધુ એક ટૂકડીને મદદ માટે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી છે.

   બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીએ જણાવ્યું કે, તા. ૧૬ના રોજ બપોરે ૨ વાગ્યે આ કામગીરીને ૫૦ કલાક જેટલો સમય થયો છે. એનડીઆરએફ, રાજપીપલા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે.

   કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, એસપી શ્રી પ્રશાંત સુંબેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક દસ્તાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. એના પગલે એનડીઆરએફની વધુ એક ટૂકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. હાલમાં એનડીઆરએફની બે ટૂકડીઓ પાંચ બોટ સાથે શોધખોળ કરી રહી છે. એક ટૂકડીમાં ૨૨ જેટલા જવાનો સામેલ હોય છે. આ ઉપરાંત વડોદરાની બે બોટ, ભરૂચ અને કરજણની એક એક તથા ચાર સ્થાનિક નાવડી મળી કુલ ૧૩ બોટ આ કામગીરી કરી રહી છે.

ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અન્ડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે. એનડીઆરએફના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂટ સર્ચ કરી ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાખવામાં આવી હતી. મિંદડી તરીકે ઓળખાતા હૂક વાળું સાધન નદીમાં નાખી પાણી ખંખોળવામાં આવ્યું હતું. તેમાં નદીમાં પધરાવવામાં આવેલા વસ્ત્રો જ નીકળ્યા હતા.

આજ તા. ૧૬ના સવારે નવેક વાગ્યે આ ખોજી દસ્તાને વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ ૧૫ વર્ષીય મૈત્રવ ભરતભાઇ બલદાણિયા તરીકે થઇ છે. આ પૂર્વે ૧૧ વર્ષીય વ્રજભાઇ હિંમતભાઇ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઇ હડિયા અને ભાવેશ વલ્લભભાઇ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા. તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા હતા. એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના ત્રણ મૃતદેહ નદીના પટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા.

   ઉક્ત બાબતને ધ્યાને રાખીને મહેસુલીકર્મીઓ અને પોલીસકર્મીઓ દ્વારા નદીના કિનારા ઉપર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી. વ્યાસ બેટ તરફ લગભગ છએક કિલોમિટરના પટમાં આ ટૂકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આમ છતાં, કોઇની ભાળ મળી નહોતી. એનડીઆરએફની એક ટૂકડી દ્વારા વ્યાસ બેટ તરફ મોલેથા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાંખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વહેણમાં શોધખોળ આદરવામાં આવી છે. ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે. કોતરોને પણ ખંખોળવામાં આવી રહી છે.

   મગરોના ઉપદ્રવ અને વહેતા પાણીના પડકારનો સામનો કરી અંદાજે ૧૦૦ થી પણ વધુ તરવૈયાઓ, બચાવકર્મીઓ આ રાહતકાર્યમાં જોડાયા છે. ખાસ કરીને રાતના સમયે મગરોમાં આક્રમતા વધું જોવા મળી છે. આની સામે ખોજી ટૂકડીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. રાહત કમિશનર કચેરી દ્વારા પણ બચાવ કામગીરીના સતત અપડેટ મેળવાઇ રહ્યા છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top