ભરૂચ- ગુરુવાર – આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૨-ભરૂચ સંસદીય બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે ૨૨ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે અત્યાર સુધીમાં ૩૭ વ્યક્તિઓ કુલ ૫૬ જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે. આજે તારીખ ૧૮મી એપ્રિલે વધુ ૪ ફોર્મ ૨ વ્યકિતઓએ ઉપાડયા હતા.
આજે તા. ૧૮ એપ્રિલના રોજ ગુરુવારે આમ આદમી પાર્ટીમાંથી શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા અને અપક્ષ તરીકે શ્રી નવીનભાઈ ભીખાભાઈ પટેલે ૨૨- ભરૂચ બેઠક પરથી નામાંકનપત્ર ભર્યુ હતું.
લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.
૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્ડ ધ ક્લોક’’ કામગીરી કરી રહ્યું છે.
***
Khabar Ek dum Sachi
More Stories
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી
રાજબોડેલી પાસે નવાગામ ની સીમની ખેતરમાંથી ચોરી,ઝટકા મશીન તેમજ સોલર સાથે રૂપિયા 12000 ના સામાન ની ચોરી,