રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભરૂચ જિલ્લાની મુલાકાત સંદર્ભે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે બેઠક યોજાઈ

Share to


*નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે મહામહિમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે*



આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય  દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.
     આ પ્રસંગને અનુસંધાને આજરોજ  કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીશ્રીઓ તથા  સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

       આ બેઠકમાં કલેકટર તુષાર સુમેરાનએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલશ્રીના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું


    આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલ, પ્રાંત અધિકારી જે. એસ. બારીયા સહીત જિલ્લાનાં અધિકારીઓ અને સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed