31મી એ વડાપ્રધાન કેવડિયા આવવાના હોઈ ને “BSNL” ને ખાડા ખોદવા સામે ચેતવણી

Share to



ઈકરામ મલેક:રાજપીપળા

સામાન્ય દિવસો મા BSNL અને ગુજરાત ગેસ જેવી કંપનીઓ રોડ રસ્તાઓ ખોદી જેમતેમ કામ કરી વેઠ ઉતારતી હોય છે, ત્યારે પડેલા ખાડા અને ખોરવાયેલા નેટવર્ક નો ભોગ સામાન્ય પ્રજા બનતી હોય છે.

પરંતુ જ્યારે કોઈ મહાનુભવ આવવાના હોય ત્યારે “ભાંગી પડેલી કેડો” વાડા સરકારી તંત્ર મા જીવ પડી જતો હોય છે અને સળવળાટ કરવા માંડે છે. ત્યારે 31મી એ કેવડિયા વડાપ્રધાન નરેન્દ્રભઈ મોડી આવવાના હોઈ ને નર્મદા ના અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી BSNL ને ખાડા ખોદી નેટવર્ક તંત્ર ના ખોરવાય માટે તાકીદ કરાઈ છે, અને જો તેઓ તેમ નહિ કરે તો તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.


Share to