Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

આરોગ્ય વિભાગ દ્વારા એડલ્ટ બીસીજી વેકસીનેશનનો જિલ્લા કક્ષાનો બે દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત નર્મદાના સભાખંડ ખાતે યોજાયો

Share to

રાજપીપલા, શનિવાર:- આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને મેડીકલ ઓફીસર, ફાર્માસિસ્ટ,સી.ઓ.ચોની એડલ્ટ બીસીજી વેકસીનેશનનો જિલ્લા કક્ષાનો બે દિવસીય વર્કશોપ જિલ્લા પંચાયત નર્મદા સભાખંડ ખાતે યોજાયો હતો.

આ વર્કશોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાત ડો.હાર્દિક નકશીવાલા, ડો.રાહુલ અને ડો.ધમેન્દ્ર હાજરી આપી સમગ્ર કાર્યક્રમની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી ઝીણવટભરી સમજુતી આપી અને આ કાર્યક્રમ કઈ રીતે પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારતના લક્ષ્યને હાસલ કરવામાં મદદરૂપ થશે તેની માહિતી આપવામા આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માંઢક, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.ઝંખના વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ વસાવા, આર.સી.એચ.ઓ શ્રી ડો.મુકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

આ પાયલોટ પ્રોજેક્ટ નર્મદા,અરવલ્લી, ખેડા, અને પોરબંદર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે. જેના પરીણામોની સમીક્ષા બાદ બાકી રહેલ જિલ્લા માટેની પોલીસી બનશે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચોક્કસ ક્રાઇટેરીયામાં આવતા ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેઓને છેલ્લા ૫ વર્ષમાં જેને ટી.બી. થયેલ હોય, ૬૦ વર્ષથી વધુ વર્ષની ઉંમર હોય, ભુતકાળમાં ધુમ્રપાન કરેલ હોય કે હાલમાં કરતા હોય અથવા તો પોતે ધુમ્રપાનની કબુલાત કરે, ૧ જાન્યુઆરી-૨૦૨૧ થી નિક્ષય પોર્ટલ પર નોંધાયેલ ટી.બીના દર્દીના નજીકના સંર્પકમાં આવતા તમામ, ડાયબીટીસની બિમારી ધરાવતા હોય, જેનો બોડી માસ ઇન્ડેક્ષ (બીએમઆઈ) (વજન ઉંચાઈ ગુણોતર) ૧૮ કરતા ઓછો હોય તેવા નાગરિકોને જમણા હાથે બીસીજીની રસી આપવામાં આવશે. જેઓનું અગાઉથી રજીસ્ટેશન ભારત સરકારના આરોગ્ય વિભાગના પોર્ટલ TB-WIN પર કરવામાં આવશે. સેશનના સ્થળે સ્પોટ નોંધણી કરીને પણ રસી મુકી આપવામાં આવશે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top