અંક્લેશ્વર ના કરસનવાડી માં રહેતા માહીર સૈયદ ની માત્ર 0૪ વર્ષીય પુત્રી ઝારા માહિર સૈયદે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમજાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે. આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે. હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે. ત્યારે સતત ૧૪ થી ૧૫ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે. ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં અંકલેશ્વર કરસનવાડી ખાતે રહેતા માહિર સૈયદ ની ૪ વર્ષીય પુત્રી ઝારા સૈયદે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી. અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુવાઓ કરી હતી. માત્ર 0૪ વર્ષની બાળકીએ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ ઝારા સૈયદ ને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકી ના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
Khabar Ek dum Sachi
More Stories
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજાના જન્મથી લઈને માઁ હરિસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસાનો આજે પણ લોકોમાં જબરો ક્રેઝ
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા-અન્ય નવ ઇસમો નાશી ગયા
પ્રેમ અને એકતાના પ્રતિક સમાન રંગોનુ પર્વ ધુળેટી પર્વ ની બોડેલી નગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ